scorecardresearch
Premium

Vastu Tips: ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન

Vastu Tips For Main Gate: વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને ખૂબ જ પવિત્ર અને ઊર્જાવાન સ્થળ માનવામાં આવે છે. તેથી આ સ્થાનની સફાઇ, પવિત્રતા અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે

Vastu Tips For Main Gate, Vastu Tips
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દ્વાર પર બિલકુલ ન કરવી જોઈએ

Vastu Tips For Main Gate: ઘરનો મુખ્ય દરવાજો માત્ર અંદર-બહાર જવાનો રસ્તો નથી, પરંતુ અહીંથી સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા પણ પ્રવેશ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને ખૂબ જ પવિત્ર અને ઊર્જાવાન સ્થળ માનવામાં આવે છે. તેથી આ સ્થાનની સફાઇ, પવિત્રતા અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

જો આપણે અજાણતા પણ કેટલીક ભૂલો કરીએ તો તેની અસર આખા ઘરના વાતાવરણ અને ઘરના સભ્યોની પ્રગતિ અને ખુશી પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દ્વાર પર બિલકુલ ન કરવી જોઈએ, નહીં તો તેની અશુભ અસર પડે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મુખ્ય પ્રવેશદ્વાર પર કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.

મુખ્ય પ્રવેશદ્વાર પર પગ પછાડશો નહીં

વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા પર જોર-જોરથી પગ પછાડવા યોગ્ય નથી. તેનાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને ઘરમાં ઝઘડા, તણાવ જેવી સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

બૂટ કે ચંપલ ઘસેડશો નહીં

મુખ્ય પ્રવેશદ્વાર પર બૂટ કે ચંપલને ઘસેડવા એ અપશુકન માનવામાં આવે છે. આ આદતથી ઘરમાં દરિદ્રતા અને આળસ વધે છે. તેથી બૂટ કે ચંપલ પહેરતી વખતે કે ઉતારતી વખતે તેને યોગ્ય રીતે રાખો અને ઘસેડવાનું ટાળો.

મુખ્ય દ્વાર પર કોઈના ચરણસ્પર્શ ન કરો

વડીલોના ચરણસ્પર્શ કરવા એ સન્માનનું પ્રતીક છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય પ્રવેશદ્વાર પર કોઇના ચરણસ્પર્શ કરવાથી ઉર્જાનો પ્રવાહ અટકી શકે છે. મુખ્ય દ્વારને દેવ સ્થાનની જેમ પવિત્ર માનવામાં આવે છે, તેથી આ સ્થાન પર નમન અથવા ચરણ સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો – ચારધામ યાત્રાની શરૂઆત યમુનોત્રીથી કેમ થાય છે? જાણો તેના પાછળનું ધાર્મિક કારણ

સાવરણી દરવાજા પર ન મૂકવી

મુખ્ય દરવાજા પર સાવરણી મૂકવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે. તેથી સાવરણીને હંમેશા ઘરની કોઈ છુપી જગ્યાએ રાખો અને ખાસ કરીને સાંજે સાવરણીને દરવાજા પાસે બિલકુલ ન મુકો.

દરવાજા પર વાળ ન ઓળો

મુખ્ય દરવાજા પર વાળ ઓળવા પણ વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવતા નથી. તેનાથી માનસિક અસ્થિરતા વધે છે અને ઘરમાં નકારાત્મક વિચારો ફેલાઈ શકે છે. તમારી આ આદત નસીબમાં પણ અડચણો ઉભી કરી શકે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Vastu tips for main gate avoid doing these 5 mistakes on main door ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×