scorecardresearch
Premium

શનિ અમાવસ્યાના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે, શું ભારતમાં જોવા મળશે? જાણો સમય અને સૂતક કાળ

Solar Eclipse/Surya Grahan 2025 : સૂર્યગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે. વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ, શનિવારે થવા જઈ રહ્યું છે અને તે આંશિક ગ્રહણ હશે.

Solar Eclipse Visibility, Solar Eclipse 2025, Solar Eclipse Time, surya grahan, Solar Eclipse date and time
Surya Grahan 2025 : સૂર્યગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે (ફાઇલ ફોટો)

Solar Eclipse/Surya Grahan 2025 : સૂર્યગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. તેનાથી સૂર્યનો કેટલોક ભાગ કે આખો ભાગ ઢંકાઇ જાય છે. વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ, શનિવારે થવા જઈ રહ્યું છે અને તે આંશિક ગ્રહણ હશે. હિન્દુ ધર્મમાં ગ્રહણ દરમિયાન સુતક કાળ લાગે છે, જેમાં શુભ કાર્ય વર્જિત છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને શું તેને સુતક કાળ માનવામાં આવશે? આવી સ્થિતિમાં આવો જાણીએ આ સૂર્યગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો.

સૂર્યગ્રહણનો સમય?

વૈદિક પંચાંગ મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ, શનિવારે લાગશે. આ દિવસે અમાવસ્યા પણ છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 2:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે.

શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. કારણ કે તે આંશિક સૂર્યગ્રહણ હશે અને જ્યારે તે થશે, ત્યારે સૂર્યનો જે ભાગ ગ્રહણથી પ્રભાવિત થશે તે ભારત તરફથી દેખાશે નહીં.

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?

આ ગ્રહણ નોર્થન ક્યૂબેક, કેનેડાના પૂર્વી અને ઉત્તરી વિસ્તારો, પૂર્વોત્તર અમેરિકા, સાઈબિરિયા, આફ્રિકાના અમુક ભાગો, કેરેબિયન અને યૂરોપમાં દેખાશે. આ ઉપરાંત કેટલાક ટાપુઓ પર પણ તે આંશિક રીતે દેખાશે.

આ પણ વાંચો – વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

આંશિક સૂર્યગ્રહણ શું છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે પરંતુ સૂર્યને સંપૂર્ણપણે આવરી લેતો નથી, ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે. આવામાં સૂર્યનો અમુક ભાગ જ ઢંકાયેલો હોય છે અને બાકીનો ભાગ ચમકતો રહે છે. તેને પૂર્ણ સૂર્યગ્રહણ માનવામાં આવતું નથી.

શું ભારતમાં સુતક કાળ લાગશે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના 9થી 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન પૂજા- પાઠ, ભોજન બનાવવા સહિતના અનેક કાર્યો વર્જિત હોય છે. પરંતુ સુતક સમયગાળો ત્યારે જ માન્ય છે જ્યારે સૂર્યગ્રહણ જોઈ શકાય. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Surya grahan 2025 date time sutak kaal in india solar eclipse on shani amavasya ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×