scorecardresearch
Premium

Shani Yantra Benefits: શનિદેવની કૃપા મેળવવા આ યંત્રની પૂજા કરો; શનિ દોષ, ઢેય્યા અને સાડાસાતીમાં મળશે રાહત, જાણો યંત્રની સ્થાપના કરવાની વિધિ

Shani Yantra Benefits In Shani Dosh, Dhaiya And Sade Sati Jyotish Upay : કર્મ પ્રધાન દેવ શનિદેવની ઢૈય્યા અને સાડાસાતી દરમિયાન વ્યક્તિએ ભંયકર પીડા – દુઃખ – મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આ દરમિયાન શનિયંત્રની પૂજા કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે.

Shani Yantra Benefits | Shani Yantra Worship | Shani Dev Dhaiya | Shani Dev Sade Sati | Shani Dosh Jyotish Upay | Astrology Tips Of Shani Dosh
શનિદેવની કર્મ પ્રધાન દેવ છે. શનિ દોષ, ઢૈય્યા અને સાડાસાતીમાં શનિ યંત્રની પૂજા કરવાથી શનિની પીડામાં રાહત મળે છે. (Photo – Social Midea)

Shani Yantra Benefits: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ પ્રધાન અને ન્યાયના દેવ કહેવામાં આવે છે. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ દોઢ વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની ઉચ્ચ રાશિ તુલા રાશિ છે અને તેઓ મેષ રાશિમાં નીચ થઇ જાય છે. જ્યારે પણ શનિ દેવ રાશિ પરિવર્તન કરે છે ત્યારે રાશિઓ પર શનિની ઢૈય્યા અને કેટલીક રાશિઓ પર સાડાસાતી શરૂ થાય છે.

તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તેથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે અને મીન રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ છે. તેમજ આ દરમિયાન કુંભ અને મકર રાશિના લોકો પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. સાડાસાતીમાં રહેલો શનિ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, કામકાજ બગડે અને કિસ્મત પણ સાથ આપતી નથી. કરિયર અને બિઝનેસમાં સફળતા મળતી નથી.

shani margi in kumbh | shani dev margi 2023 | Astrology | Grah Gochar
શનિ ગોચર

અલબત્ત જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, ઢૈય્યા અને સાડાસાતીની અશુભ અસરોને ઓછી કરવા કે દૂર કરવા માટે શનિ યંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ યંત્ર સ્થાપિત કરવા અથવા પહેરવાથી શનિના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કામમાં પણ સફળતા મળે છે. ચાલો જાણીએ આ સાધન વિશે…

શનિ યંત્ર શું છે (What It Is Shani Yantra)

વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે કોઈ મંત્રને આકાર આપવામાં આવે છે, ત્યારે તે યંત્ર બની જાય છે. તમને જણાવી દઈએ કે તમે તાંબાનું શનિ યંત્ર ખરીદી શકો છો અથવા તેને બ્રાહ્મણ પાસેથી તામ્ર કે ભોજ પત્ર પર બનાવી શકો છો. તમે આ યંત્રને ગળામાં પણ પહેરી શકો છો.

આ પણ વાંચો | 2024માં શનિ દેવ 3 વખત ચાલ બદલશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને ધન લાભ થશે

શનિ યંત્રને સ્થાપિત કરવાની વિધિ (Shani Yantra Puja Vidhi Tips)

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના કરવી અથવા ધારણ કરવું જોઈએ. તેમજ શનિ યંત્રને ઘરમાં સ્થાપિત કરતા પહેલા યોગ્ય બ્રાહ્મણ પાસે પંચોપચાર પૂજા કરાવો. જેથી તે અસરકારક બને. જે દિવસે શનિ યંત્ર પહેરવામાં આવે અથવા સ્થાપિત કરવામાં આવે તે દિવસે વ્રત રાખો અને પૂજા દરમિયાન શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિને તરત જ પરિણામ મળશે. શનિના પ્રકોપથી પણ તમને રાહત મળશે.

Web Title: Shani yantra worship benefits shani dev dhaiya sade sati jyotish upay astrology tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×