scorecardresearch
Premium

ઘરમાં મચ્છર અને વંદા મારવાથી પાપ લાગે છે? પ્રેમાનંદ મહારાજે સરળ ભાષામાં સમજાવ્યું

Premanand Maharaj Viral Video : પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે, દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી બને ત્યાં સુધી આપણે તેમનું રક્ષણ કરવું જોઈએય

Premanand Maharaj | Premanand Maharaj Viral Video
Premanand Maharaj Viral Video : પ્રેમાનંદ મહારાજ એક વીડિયોમાં સમજાવા છે કે, મચ્છર, વંદા જેવા જીવો મારવાથી પાપ લાગે છે. (Photo: Social Media)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. તેઓ રાધા કેલી કુંજ ટ્રસ્ટના સ્થાપક પણ છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજજીના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. કારણ કે તેઓ વીડિયોમાં લોકોના વિચિત્ર સવાલોના ખૂબ જ સરળ રીતે જવાબ આપી રહ્યા છે. આ સાથે જ તે ભગવાનને પામવાનો રસ્તો બતાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ રાધા રાણીને પોતાના આરાધ્ય માને છે. તેઓ દિવસ રાત પોતાની ભક્તિમાં લીન રહે છે.

સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના લાખો ફોલોઅર્સ છે અને અનેક સેલિબ્રિટીઝ તેમના સત્સંગમાં આવે છે. આ યાદીમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને આરએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલાં બોલીવુડ અભિનેતા આશુતોષ રાણા પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. તેમણે ગુરુપૂજન પણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને સવાલ કરે છે શું મચ્છર કે વંદા મારવા પાપ છે? તેના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, દરેક જીવમાત્રને જીવવાનો અધિકાર છે. તેથી, જ્યાં સુધી આપણે કરી શકીએ ત્યાં સુધી, આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ, તેમનું રક્ષણ કરવું જોઈએ અને આપણું કામ કરવું જોઈએ. દાખલા તરીકે, જો તે દેખાય તો, તેને એક વાસણમાં લઈ બહાર ફેંકી દો. આવી ઔષધિયો મૂકો, તેનાથી તે ઉત્પન્ન ન થાય અને ત્યાં આવે નહીં.

જો આપણે જીવજંતુઓ પર એવું કેમિકલ નાંખીયે તેનાથી તે મરી જાય છે, તો તે પાપ છે અને તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. કારણ કે તમામ જીવોને આ ધરતી પર રહેવાનો અધિકાર છે. કારણ કે તમે એક વર્તુળને તમારું ઘર મનાયું છે, પરંતુ તે ભગવાનનું છે, તેથી ગરોળીને પણ અધિકાર છે. કીડીનો અધિકાર છે અને વીંછીનો પણ અધિકાર છે. જમીન ભગવાનની છે.

પ્રેમાનંદ મહારાજએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક જીવો સાથે અમારો દ્વેષભાવ છે, જેમ કે સાપ જે રૂમમાં હોય તો આપણે કેવી રીતે રહી શકીએ. તેથી તેને મારવો ન જોઈએ, તેને બહાર ફેંકી દો અથવા અન્ય કોઇ ઉપાય કરો. જેથી તેને ઈજા ન થાય અને પોતે પણ સુરક્ષિત રહો. આવું થવું જોઈએ.

Web Title: Premanand maharaj viral video machchar cockroach marna pap he as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×