Today Live Darshan, Navratri, Ambaji temple and Gabbar darshan : શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આજે 16 ઓક્ટોબરે નવરાત્રીનું બીજું નોરતું છે. આદ્યશક્તિની ઉપાસના કરવાના આ નવ દિવસ છે. નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરે છે. નવરાત્રીના આ માહોલમાં શક્તિપીઠ એવા અંબાજી મંદિરના દર્શન કરાવીશું. ભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી જઈને જગત જનની માતા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં નવરાત્રીનો અલગ જ માહોલ જોવા મળે છે..બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે નવરાત્રી યોજાય છે.
ગબ્બર લાઇવ દર્શન
ભાદરવી પૂનમ મેળો 23થી 29 સપ્ટેમ્બર 2023 ચાલશે. આ સમયે ગુજરાત અને દેશ દુનિયામાંથી લાખો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું.