scorecardresearch
Premium

Chaitra Maas 2024 : ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે? જાણો આ મહિનામાં શું કરવું અને શું નહીં

Chaitra Navratri 2024 Date : શાસ્ત્રોમાં ચૈત્ર માસનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે, બ્રહ્માજીએ ચૈત્ર મહિનામાં સૃષ્ટની રચના કરી હતી. ચાલો જાણીયે ચૈત્ર મહિનામાં શું કરવું જોઈએ અને શું નહીં.

chaitra navratri 2024 | chaitra maas 2024 | chaitra navratri puja
ચૈત્ર માસની એકમથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે. (Photo – Freepik)

Chaitra Navratri 2024 Date : ચૈત્ર માસ શરૂઆત તારીખ: શાસ્ત્રોમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે. કારણ કે હિંદુ ધર્મમાં ચૈત્ર મહિનાની પહેલી તિથિને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી પણ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે અને મા દુર્ગા આવે છે.

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે ચૈત્ર માસની શરૂઆત ચૈત્ર નવરાત્રીથી થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલ, 2024થી શરૂ થાય છે. તેનું એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ ચૈત્ર મહિનાથી સૃષ્ટની રચના કરી હતી. તેથી તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તેમજ ચૈત્ર માસ સાથે ભગવાન રામનો પણ ગાઢ સંબંધ છે. રામજીનો રાજ્યાભિષેક ચૈત્ર માસના પ્રથમ દિવસે થયો હતો. ચૈત્ર માસને લઈને શાસ્ત્રોમાં કેટલાક ખાસ નિયમો છે. કારણ કે આ મહિનાથી માત્ર શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે ચૈત્ર મહિનામાં શું કરવું જોઈએ અને શું નહીં.

ચૈત્ર મહિનામાં શું કરવું

ચૈત્ર મહિનામાં સવારે વહેલા ઉઠવું જોઈએ. સાથે જ યોગ અને પ્રાણાયામ પણ કરવા જોઈએ. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે જ તમે રિલેક્સ રહેશો.

ચૈત્ર મહિનામાં મર્યાદા પુરુષોત્તમ રામ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

આ મહિનામાં ગાય અને ઝાડની સેવા કરવી જોઈએ. આમ કરવાથી તમને અક્ષય પૃણ્ય પ્રાપ્ત થાય છે.

વેદ અને પુરાણો અનુસાર ચૈત્ર મહિનાનો પહેલો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસની દરેક ક્ષણને શુભ માનવામાં આવે છે. નવું કામ શરૂ કરવા માટે પણ તે સારું માનવામાં આવે છે.

ચૈત્ર મહિનામાં શું ન કરવું

ચૈત્ર મહિનામાં ભૂલથી પણ વાસી ખોરાક ન ખાવો. આમ કરવાથી તમે બીમાર પડી શકો છો.

આ મહિનામાં દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. કારણ કે ચૈત્ર મહિનામાં પાચન ક્રિયા થોડી નબળી પડી જાય છે. જો કે તમે મહિનામાં દહીંનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો | ચૈત્રી નવરાત્રિ 2024 ક્યારથી શરૂ થઈ રહી? ઘટસ્થાપન મુહૂર્ત અને તારીખ, મા દુર્ગા આ વર્ષે ઘોડા પર સવાર થઈ આવશે

ચૈત્ર મહિનામાં મીઠું ખાવાનું ટાળવું જોઈએ. તેના બદલે તમે સેંધા નમક કે સિંધવ મીઠું ખાવું જોઇએ.

આ મહિનામાં તેલમાં તળેલી ચીજો ખાવી જોઇએ નહીં. આ મહિનામાં તમને અપચાની સમસ્યા થઈ શકે છે. આ મહિનામાં તમે ફળોનું સેવન કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

Web Title: Chaitra maas 2024 chaitra navratri 2024 start date significance does and donts astrology tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×