scorecardresearch
Premium

Ram Lalla: રામ લલ્લાએ ધારણ કર્યો 2 કિલોનો સોનાનો હાર, જાણો પ્રભુ રામના દિવ્ય આભૂષણ અને વસ્ત્રોની ખાસિયતો

Ayodhya Ram Lalla Jewellery And Clothes Significance: અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાએ દિવ્ય આભૂષણ અને વસ્ત્રોથી સુશોભિત છે. જાણો પ્રભુ રામના વસ્ત્રો આભૂષણ અને વસ્ત્રો કેવી રીતે અને કોણ બનાવ્યા છે.

ayodhya ram lalla | ram lalla idol | ram lalla murti | ram lalla photo | ayodhya ram mandir pran pratishtha | ayodhya ram temple | ram lalla jewellery and clothes
આ ખાસ ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે

Ayodhya Ram Lalla Jewellery And Clothes Significance: અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશ રામમય થઇ ગયો છે. દેશના ખૂણે ખૂણે જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે. લોકો પોતાની આગવી શૈલીમાં તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આખરે 500 વર્ષના લાંબા ઇંતેજાર બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની તસ્વીર સામે આવતા ભક્તો ગદગદ થઇ ગયા છે. લોકોની આંખમાં ખુશીના આસું વહેવા લાગ્યા હતા. પ્રભુ શ્રી રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિ કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

ભગવાન રામ લલા તેમના ભવ્ય સ્વરૂપમાં છે. રામ લલ્લાની મૂર્તિન દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવી છે. તેમનાં વસ્ત્રો મનમોહક છે. તેમની આ તસવીર આધ્યાત્મિકતા અને પરંપરા બંનેની ઝલક આપે છે. તેમનું મુગટ સૂર્ય સમાન પ્રકાશિત દેખાય છે.

ayodhya ram mandir, pm narendra modi, ayodhya ,ram mandir
રામ મંદિરમાં આજે રામલલાની વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (તસવીર – સોશિયલ મીડિયા)

રામ લલ્લાના વસ્ત્રોની ખાસિયતો

હકીકતમાં, અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાના વસ્ત્રો અને અલંકારો ઘણા સંશંધોન બાદ બહુજ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ દિવ્ય આભૂષણોનું નિર્માણ અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને આલવંદર સ્તોત્ર જેવા ગ્રંથોમાં વર્ણવેલ શ્રી રામના શાસ્ત્રોક્ત મહિમાના આધારે બનાવવામાં આવ્યા છે. સંશોધન ઉપરાંત શ્રી યતીન્દ્ર મિશ્રાની વિભાવના અને નિર્દેશન મુજબ આ આભૂષણોનું નિર્માણ હરસહાયમલ શ્યામલાલ જ્વેલર્સ લખનઉ દ્વારા કરવામાં આવ્યું છે. આ બ્રાન્ડ 100 વર્ષથી વધુ જૂની છે. તેને HSJ ગ્રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મ લલ્લાના આભૂષણોમાં સોનું, હીરા, મોતી, પન્ના, માણેક અને મોતીના રત્નોનો સમાવેશ થાય છે. તો શ્રી રામ લાલા બિરાજમાનના વસ્ત્રો બનારસી કાપડમાંથી બનાવવામાં આવ્યા છે. રામ લલ્લાએ પીળું પીતામ્બર અને લાલ રંગનું ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. આ ઉપવસ્ત્ર શુદ્ધ સોનાની ઝરી અને દોરાથી બનાવવામાં આવે છે. શુભ વૈષ્ણવ પ્રતીકો – શંખ, કમળ, ચક્ર અને મોર – આ વસ્ત્રો પર બનાવવામાં આવ્યા છે. આ વસ્ત્રનું નિર્માણ દિલ્હીના ટેક્સટાઇલ ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ અયોધ્યા ધામમાં કામ કરતા હતા. ખાસ વાત એ છે કે આ આભૂષણો અને વસ્ત્રો શ્રી રામના બાળ સ્વરૂપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રભુ શ્રી રામ લાલાએ શું પહેર્યું છે?

શ્રી રામ રામ લાલાએ પીળા સોનાનો મુગટ પહેર્યો છે. તેમાં હીરા, પન્ના અને રૂબી જડેલા છે. બધા હીરા કુદરતી છે, જે એક અબજ વર્ષ જૂના છે.
શ્રી રામ રામ લલ્લાના કપાસમાં સોનાનું મંગળ તિલક છે.
શ્રી રામ રામ લલ્લાના હાથમાંપન્નાની વીંટી છે. જેમાં હીરા અને પન્ના જડેલા છે.
તેમના ડાબા હાથમાં રૂબીની વીંટી છે. તેનું વજન 26 કિલો છે.
પાંચ શેર વાળા હારનું વજન 660 ગ્રામ છે. તેમાં હીરા, પોલ્કી અને પન્ના જડેલા છે.
વિજય માલા સોનાની બનેલી છે. તેનું વજન લગભગ બે કિલોગ્રામ છે.
શ્રી રામ લલ્લાનો કમરબંધ સોનાથી બનેલો છે. તેનું વજન 750 કિલો છે.
બાજુ બંધ 22 કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. તેનું વજન 400 ગ્રામ છે.
શ્રી રામ લલ્લાના કંગનનું વજન 850 ગ્રામ છે.
પગ ખગડુઆનું વજન 400 ગ્રામ છે.
શ્રી રામ લલ્લાએ સોનાની પાયલ ધારણ કરી છે.
ચાંદી-સોનાની વસ્તુઓ અને ધનુષ-તીર.

Web Title: Ayodhya ram lalla jewellery and clothes significance ram mandir ayodhya as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×