Abu Dhabi Temple Inauguration Highlights : અબુધાબી મંદિર ઉદ્ઘાટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારને 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી સાથે મહંત સ્વામી મહારાજ અને સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સોનેરી અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. આમાં વર્ષો જૂનું સ્વપ્ન સામેલ છે. આમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે ત્યાં પ્રશન્નતાનો અનુભવ કરી રહ
BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે. તે માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ ભારત અને UAE વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આશરે 2000-5000 ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ- BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે આ મંદિર પણ માનવતા માટે સારા ભવિષ્યની વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/ZtJrrSb92a
— ANI (@ANI) February 14, 2024
#WATCH | At the inauguration of BAPS Hindu temple in Abu Dhabi, PM Modi says, "UAE has written a golden chapter. The inauguration of the temple has years of hard work and dreams of many are connected with the temple. Swaminarayan's blessings are also connected…" pic.twitter.com/wPGRYcVOBP
— ANI (@ANI) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi meets volunteers & key contributors, involved in creation of the temple- from its inception to its completion, in Abu Dhabi. pic.twitter.com/6WLLZp9P1E
— ANI (@ANI) February 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર ખાતે સંયુક્ત આરબ અમિરાતના મંત્રી નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા.
#WATCG | Prime Minister Narendra Modi meets Minister of Tolerance and Coexistence of the United Arab Emirates Nahyan bin Mubarak Al Nahyan, at BAPS Hindu temple, in Abu Dhabi. pic.twitter.com/BcabxWvRHp
— ANI (@ANI) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/mUW34PpJfL
— ANI (@ANI) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/ttYfdqGplt
— ANI (@ANI) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. pic.twitter.com/6vi2CqTqK4
— ANI (@ANI) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/2J5kQ1NjMu
— ANI (@ANI) February 14, 2024
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનો અભિષેક સમારોહ આજે PM મોદી દ્વારા તેના ઉદ્ઘાટન પહેલા શરૂ થશે.
Consecration ceremony of BAPS Hindu Temple in Abu Dhabi begins ahead of its inauguration by PM Modi today
— ANI Digital (@ani_digital) February 14, 2024
Read @ANI Story | https://t.co/3Iv4zH8RD0#BAPSHinduTemple #ConsecrationCeremony #AbuDhabi #PMModi pic.twitter.com/KmAvTxhd7S
વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું- PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે 13 જાન્યુઆરીએ દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ સમયગાળા દરમિયાન 10 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું- આ ચર્ચામાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ વિકાસને આવરી લેવામાં આવ્યો હતો.
#WATCH | Abu Dhabi: On ANI's question, Foreign Secretary Vinay Mohan Kwatra says, "…As I mentioned to you in my opening remarks, the developments in this region, have been a very important element of discussions between the two leaders (PM Modi and President of the UAE, Sheikh… pic.twitter.com/O7j4JpoX09
— ANI (@ANI) February 14, 2024

Abu Dhabi Temple, અબુ ધાબી મંદિર : BAPS દ્વારા યુએઈમાં પહેલું હિંદુ મંદિર બનાવવામાં આવ્યું છે. અબુ ધાબીમાં વસંત પંચમીના રોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે લોકાર્પણ થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
પ્રમુખસ્વામી મહારાજે 27 વર્ષ પહેલાં અબુધાબીમાં મંદિર બનાવવાનો કરેલો મહાન સંકલ્પ મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો છે. અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. ત્યારે અહીં આપણે યુએઈન આ હિન્દુ મંદિરની A to Z માહિતી આપવામાં આવી છે. વધુ વાંચો
પીએમ મોદી બપોરે 1.30 વાગ્યાની આસપાસ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે. તેઓ દુબઈમાં યોજાનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. આ સાથે તેઓ સમિટમાં વિશેષ સંબોધન પણ કરશે.
પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત અબુધાબી BAPS હિન્દુ મંદિરનું સર્જન આ મંદિરનું સર્જન અસંખ્ય અદભુત મહિતીઓ અને અનુભવોથી રોચક બન્યું છે.
UAE સામાન્ય રીતે તેના વિશાળ રણ માટે જાણીતું છે, જ્યારે ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે. મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક સેતુ પ્રસ્થાપિત કરે છે. આ ત્રણ નદીઓના ‘ત્રિવેણી સંગમ’ આગળ ‘દિવ્ય ચક્ષુ’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
પૂર્વમાં અંગકોરવાટના અદભુત મંદિરથી લઈને પશ્ચિમમાં ટોરન્ટોના CN ટાવર સુધી, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની રચના હોય કે અનેકવિધ સભ્યતાઓ અને સંસ્કૃતિઓની પ્રગતિ હોય, તેની પ્રગતિનો આધાર સંવાદિતા છે. હાર્મની શબ્દ વિશ્વની પ્રાચીન અને અર્વાચીન એમ 30 ભાષાઓમાં કંડારવામાં આવ્યો છે.
સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ ગુલામી પથ્થર, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આજે યુએઇ સાતમું સૌથી મોટું રોકાણકાર છે. ઇઝી ઓફ લિવિંગ અને ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં બંને દેશો ઘણો સહયોગ કરી રહ્યા છે. આજે પણ અમારી વચ્ચે જે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તે આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહ્યા છે.
અલહાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી નાણાકીય વ્યવસ્થાને એકીકૃત કરી રહ્યા છીએ. ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં ભારત અને યુએઇ વચ્ચેની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. સમુદાયન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં, ભારત-યુએઈ એ જે હાંસલ કર્યું છે તે વિશ્વ માટે એક મોડેલ છે.
વડાપ્રધાને મોદીએ સંબોધનમાં કહ્યું કે, 1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુઇએની શાળાઓમાં અભ્યાસ કરે છે. પાછલા મહિને અહીં આઇઆઈટી દિલ્હી કેમ્પસમાં એક માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી સીબીએસઇ ઓફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠત્તમ શિક્ષણ આપવામાં મદદરૂપ થશે.
અહાલાન મોદી કાર્યક્રમના સંબોધનમાં અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોદીએ ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.
અહલાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 2015માં મારા માટે કૂટનીતિની દુનિયા નવી હતી. તે સમયે, એરપોર્ટ પર તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે મારું સ્વાગત કર્યું હતું. તે સ્વાગત મારા એકલા માટે નહીં, પરંતુ 140 કરોડ ભારતીયો માટે હતું.
વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, હું મારા પરિવારજનોને મળવા આવ્યો છું. જ્યાં તમે જન્મ્યા હતા ત્યાંની માટીની સુગંધ લાવ્યો છું અને 140 કરોડ લોકોનો સંદેશ લઈને આવ્યો છું. સંદેશ એ છે કે ભારતને તમારા પર ગર્વ છે.” મને 2015 માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે, જ્યારે તમને કેન્દ્રમાં પહોંચ્યાના થોડાંક જ દિવસ થયા હતા. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાનની યુએઈની આ પ્રથમ મુલાકાત હતી.”
પીએમ મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું, “આજે અબુ ધાબીમાં તમે એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે બધા યુએઇના ખૂણે-ખૂણેથી અને ભારતના અલગ – અલગ રાજ્યોમાંથી અહીં આવ્યા છો, પરંતુ દરેકના દિલ એક બીજા સાથે જોડાયેલા છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક દિલની ધડકન, દરેક શ્વાસ, દરેક અવાજ કહે છે – ભારત-યુએઈ દોસ્તી જિંદાબાદ…
મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે. પીએમ મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો અબુ ધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે UAE પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. પીએમ મોદી પોતાના હાથે તેનું ઉદ્ઘાટન કરશે. BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે.
ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ પીએમ મોદીની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોના મહત્વને કારણે જરૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે અને પીએમ મોદી પોતાના હાથે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ મોદીની આ વખતે યુએઈની આ સાતમી મુલાકાત છે.