scorecardresearch
Premium

શું છે મૂનલાઈટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય, ચંદ્રમાની ચારેય તરફ સેટેલાઈટનું નેટવર્ક ઉભુ કરવાની જરૂર કેમ પડી?

આ કાર્યક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં બરફ અને સૌર ઊર્જાના સ્ત્રોતો અસ્તિત્વમાં છે, જે ઓક્સિજન, પાણી અને રોકેટ ઇંધણ માટે જરૂરી છે. ESA એ ઔપચારિક રીતે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસ દરમિયાન તેની રજૂઆત કરી હતી.

European Space Agency, ESA, International Astronautical Congress, Moonlight Lunar Communications,
મૂનલાઈટ કાર્યક્રમ અંતર્ગત 5 સેટેલાઈટ ચંદ્રમા પર સંચાર અને નેવિગેશન સેવાઓ પ્રદાન કરશે. (Image: ESA – P. Carril)

યૂરોપીય અંતરિક્ષ એજન્સી (ESA)એ ગત 15 ઓક્ટોબરના રોજ ‘મૂનલાઈટટ’ કાર્યક્રમ લોન્ચ કર્યો. જેનો ઉદ્દેશ્ય ચંદ્રમાની ચારેય તરફ સેટેલાઈટનું એક નેટવર્ક બનાવવાનું છે, જે ચંદ્રમા પર નેવિગેશન અને સંચાર સેવાઓ સોંપશે. મૂનલાઈટનો ચંદ્ર સંચાર અને નેવિગેશન સેવા (LCNS) કાર્યક્રમ ચંદ્રમાની શોધ માટે જરૂરી પાયાની સુવિધાઓ પ્રદાન કરશે. આ સિસ્ટમ અંતરિક્ષમાં ચંદ્રમાની સપાટી પર રોવર અને અંતરિક્ષ યાનની સચોટ લેન્ડીંગ અને સંચાલનને સરળ અને સસ્તુ બનાવશે.

મૂનલાઈટ કાર્યક્રમ અંતર્ગત 5 સેટેલાઈટ લોન્ચ થશે

મૂનલાઈટ કાર્યક્રમ અંતર્ગત 5 સેટેલાઈટ ચંદ્રમા પર સંચાર અને નેવિગેશન સેવાઓ પ્રદાન કરશે. 4 સેટેલાઈટ નેવિગશન માટે અને 1 સંચાર માટે રહેશે, જે પૃથ્વીથી 3 ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા જોડાયેલા રહેશે. 2026માં લૂનર પાથફાઈન્ડર સેટેલાટટના લોન્ચની સાથે મૂનલાઈટ શરૂ થશે અને 2030 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. ESA, નાસા અને જાપાન એયરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ના સહયોગથી આ સુનિશ્ચિત કરવામાં આવશે કે મૂનલાઈટ ચંદ્રમાના આંતરરાષ્ટ્રીય માનકોના અનુરૂપ હોય.

આ પણ વાંચો: આજે પૃથ્વીની સૌથી નજીક આવશે ચંન્દ્ર, શરદ પૂર્ણિમાએ ચાંદની વિખેરશે સુપરમૂન

આ કાર્યક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં બરફ અને સૌર ઊર્જાના સ્ત્રોતો અસ્તિત્વમાં છે, જે ઓક્સિજન, પાણી અને રોકેટ ઇંધણ માટે જરૂરી છે. ESA એ ઔપચારિક રીતે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસ દરમિયાન તેની રજૂઆત કરી હતી. મૂનલાઇટનો હેતુ ચંદ્ર પર સ્થિર અને સુરક્ષિત હાજરી બનાવવાનો છે. યુનાઇટેડ કિંગડમ (યુકે) અને ઇટાલીએ આ પહેલમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે ભવિષ્યમાં ચંદ્ર અર્થતંત્રને વિકસાવવામાં મદદ કરશે.

શું છે મૂનલાઈટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય

સ્થિર સંદેશાવ્યવહાર: ચંદ્રની સપાટી પર અને ભ્રમણકક્ષામાં કાર્યરત અવકાશયાન, લેન્ડર્સ, રોવર્સ અને અન્ય મિશન એકબીજા સાથે સરળતાથી અને સ્થિર રીતે વાતચીત કરવામાં સક્ષમ હોવા જોઈએ. આનાથી વિવિધ દેશો અને સંગઠનોના ચંદ્ર મિશન વચ્ચે સંકલન વધશે.

નેવિગેશન એડ્સ: આ સિસ્ટમ ચંદ્રની સપાટી પર કાર્યરત મિશનને સચોટ નેવિગેશન સેવાઓ પ્રદાન કરશે, જેનાથી તેઓ તેમના સ્થાન અને ગંતવ્યને સરળતાથી ટ્રૅક કરી શકશે. આની મદદથી રોવરની ગતિવિધિઓને નિયંત્રિત કરી શકાય છે.

મિશન ખર્ચમાં ઘટાડો: આ નેટવર્કનો ઉપયોગ કરવાથી ચંદ્ર પરના મિશન માટે વ્યક્તિગત સંદેશાવ્યવહાર અને નેવિગેશન સાધનોની જરૂરિયાત ઘટશે, જેનાથી મિશનની એકંદર કિંમતમાં ઘટાડો થશે અને મિશનને વધુ સારી અને સુરક્ષિત રીતે ચલાવવાની મંજૂરી મળશે.

આંતરરાષ્ટ્રીય સહકાર: ચંદ્ર નેટવર્ક વિવિધ દેશો અને સંસ્થાઓના ચંદ્ર પરના મિશનને સાથે મળીને કામ કરવાની મંજૂરી આપશે. આ એક વહેંચાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે, જે વૈશ્વિક ચંદ્ર મિશનને શક્ય બનાવશે.

Web Title: What is the moonlight programme europe mission for lunar explorations rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×