પ્રેમાનંદ ગોવિંદ શરણ (Premanand Govind sharan) ભક્તો અને અનુયાયીઓમાં પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) તરીકે જાણીતા છે. રાધાવલ્લભ સંપ્રદાય સાથે સંકળાયેલા પ્રેમાનંદ મહારાજ ના પ્રવચન ભક્તોમાં પ્રિય છે. આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ જી કિડની રોગથી છેલ્લા ઘણા સમયથી પીડાઇ રહ્યા છે. ભક્તોના સવાલોના સરળ ભાષામાં તેઓ જવાબ આપી મૂંઝવણ દૂર કરે છે. એમના પ્રવચનના વીડિયો વાયરલ થતા રહે છે.