Kargil Vijay Diwas, કારગિલ વિજય દિવસ : કારગિલ વિજય દિવસ ભારતીય સૈનિકોની હિંમતનું ગૌરવ છે. વર્ષ 1999 માં જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાની સૈનિકોએ કારગિલ શિખર પર ઘૂસણખોરી કરી હતી. 90 દિવસ સુધી ચાલેલા યુધ્ધના અંતે 26 જુલાઇએ ભારતીય સૈનિકોએ પાક સેનાને ખદેડી કાઢી હતી. ઓપરેશન વિજય સફળ થયું અને આ દિવસને કારગિલ વિજય દિવસ રુપમાં ઉજવવામાં આવે છે.